મંદિરમાં શિવલિંગ પર માથું નમાવતી વખતે મહિલા સાથે થયું એવું કે જોઈને ગામના લોકોની આંખો થઈ પહોળી ..

મંદિરમાં શિવલિંગ પર માથું નમાવતી વખતે મહિલા સાથે થયું એવું કે જોઈને ગામના લોકોની આંખો થઈ પહોળી ..

મહાશિવરાત્રી નિમિત્તે ગોરખપુરથી એક અનોખી ઘટના બહાર આવી છે, જ્યાં એક મહિલાનું મોત ચર્ચાનો વિષય બન્યું છે, કારણ કે શિવલિંગને વંદન કરતી વખતે તેમનું અવસાન થયું હતું.

હકીકતમાં, નૌસાદ ચોકી હેઠળ હરૈયા ગામના શિવ મંદિરમાં પરણિત મહિલા સવારે 4:00 વાગ્યે પૂજા કરવા ગયા હતા, શિવલિંગ પર માથું ટેકવતાં જ તેણે પોતાનો જીવ ગુમાવ્યો હતો.

મૃતકના પૌત્ર રમેશ કુમારે માહિતી આપતા કહ્યું કે 58 વર્ષીય જમુના પ્રસાદ કસોધનની પત્ની વિભક્તિ દેવી સવારે શિવરાત્રિ નિમિત્તે સવારે 4:00 વાગ્યે પોતાના ઘરની પાસે આવેલા શિવ મંદિરમાં પૂજા કરવા ગયા હતા.

સાથે તેમના પતિ પણ હાજર હતા. તેમણે પૂજા કરી, જમુના પ્રસાદે જોયું કે જલદી જ વિભક્તિ દેવી શિવલિંગ પર નમન કરે છે, તે પછી વિભક્તિ દેવીએ લાંબા સમય સુધી કોઈ હિલચાલ કરી ન હતી. જે બાદ જમુના પ્રસાદે તેની પત્ની વિભક્તિ દેવીને ઘણી વખત અવાજ કર્યો.

અવાજ સાંભળ્યા પછી પણ, જ્યારે કોઈ જવાબ ના મળ્યો, તેથી જમુના પ્રસાદે તેને સ્પર્શ કર્યો, ત્યારે તેણે જોયું કે દેવી ભક્તિ દેવી હવે આ દુનિયામાં નથી. તેમને અડતા જ તે નીચે પડી ગયા.

તમને જણાવી દઈએ કે જમુના પ્રસાદને બે પુત્રો અને ત્રણ પુત્રીઓ છે. પરિવારના સભ્યોએ જણાવ્યું કે નાનપણથી જ પૂજામાં વ્યસ્ત વિભક્તિ દેવીનું શિવરાત્રી નિમિત્તે નિધન થયું હતું, જ્યારે આજે તેઓ દર્શન માટે ગયા હતા.

આ અંગે નરેન્દ્ર કુમાર નંદુ પડોશી કહે છે કે આજે સવારે ચીસો પાડવાનો અવાજ આવ્યો, જ્યારે અમે દોડતા દોડતા મંદિર પહોંચ્યા, ત્યારે જોયું કે તે શિવલિંગ પર જ પડેલ હતા. અમે તેમને ઉપાડીને બહાર કાઢ્યા. અમે ચેક કરવા માટે નજીકની હોસ્પિટલમાં પણ લઈ ગયા હતા, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતા.

આ બધું જ ભગવાનની આંખો આગળ થયું તેવું કહેવું છે તેમના ઘર વારાનું, તેમને કહ્યું કે તો પણ ભગવાને બચાવ્યા નહિ. અમુક કહે છે આ સારું મૃત્યુ કહેવાય કે જે ખુદ ભગવાનની ભક્તિમાં થયું, તેથી તેમને સ્વર્ગ મળશે.

mayur mandani

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *