હાઈવે પર ST બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા જ 12 લોકો થયા ઘાયલ, લોકોની ચીખોથી ગુંજી ઉઠ્યો હાઇવે..!

હાઈવે પર ST બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા જ 12 લોકો થયા ઘાયલ, લોકોની ચીખોથી ગુંજી ઉઠ્યો હાઇવે..!

રાજ્યના માર્ગો ઉપર રોજ રોજ ઘણા બધા અકસ્માત બને છે. પરંતુ ગુજરાતમાં સૌથી વધારે અકસ્માતના બનાવો સુરેન્દ્રનગર જિલ્લામાંથી સામે આવતા હોય છે. અને ગઈકાલે સુરેન્દ્રનગર જિલ્લાના નેશનલ હાઇવે ઉપર વધુ એક ગમખ્વાર અકસ્માતમાં બનાવ સામે આવ્યો હતો. આ અકસ્માત જેતપુર ડેપોની એસટી બસ અને એક ટ્રક વચ્ચે સર્જાયો હતો..

આ અકસ્માત સર્જાયા બાદ ભલભલા લોકોના જીવ તાળવે ચોટી ગયા હતા. સાયલા તાલુકાના જસાપર ચોકડી પાસે એક એસટી બસ જઈ રહી હતી. તેમજ આ બસની આગળ એક ટ્રક જતો હતો. ટ્રક ચાલકે અચાનક જ બ્રેક મારતા એસટી ચાલક બસને કાબુમાં રાખી શક્યો નહીં અને એસટી બસ ટ્રક સાથે અથડાઈ હતી અને એસટી બસનો આગળનો ભાગ કુચે કુચો બોલી ગયો હતો..

આ બસની અંદર અમદાવાદ, રાજકોટ, મોડાસા સહિતના ઘણા બધા મુસાફર સવાર હતા. જેમાંથી કુલ 12 કરતા વધારે મુસાફરોને ખૂબ જ વધારે પ્રમાણમાં ઈજાઓ પહોંચી છે. એટલા માટે તેઓને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યારે આ ગંભીર અકસ્માતની જાણ સાયલા નેશનલ હાઇવે ઉપર રહેલી પોલીસને થઈ ત્યારે તેઓએ પણ જરૂરી તાપસ હાથ ધરવા માટે ઘટના સ્થળે પહોંચી હતા..

જેતપુર ડેપોની આ બસ કૃષ્ણનગર વિસ્તારથી જુનાગઢ તરફ જતી હતી. પરંતુ જસાપર ગામના પાટીયા પાસે ટ્રકની પાછળ બસ ઘૂસી જવાથી લોકોને ભારે મુશ્કેલીનો ભોગ બનવું પડ્યું હતું. જ્યારે આ બસ સ્ટોક સાથે ગંભીર રીતે અથડામણ થઈ ત્યારે અંદર બેસેલા તમામ મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા. આ ગંભીર અકસ્માતમાં ધવલ અશોકભાઈ પરમાર, અશોકભાઈ સોમાભાઈ, મંજુલાબેન અશોકભાઈ પરમાર, સાગરભાઇ અશોકભાઈ..

કેવલ મહેશભાઈ, સંગીતાબેન કિશોરભાઈ ગઢવી, આદિત્ય નરેન્દ્રભાઈ આ તમામ ઇજાગ્રસ્ત લોકો રાજકોટ જિલ્લાના રહેવાસી છે. જ્યારે સજન બેન રઘુભાઈ ગઢવી અને રઘુવીર મૂળજી તેમજ રાજુભાઈ મોડાસા ગામના રહેવાસી છે. આ સાથે સાથે ઉમેશભાઈ ગોવિંદભાઈ, પ્રકાશભાઈ માણેક રાવલ સહિતના લોકો જેતપુર જિલ્લાના રહેવાસી છે. આ અકસ્માતમાં કુલ 12 વ્યક્તિઓને ખૂબ વધારે પ્રમાણમાં ઈજા પહોંચી છે..

તો કેટલાક લોકો લોહી લુહાણ થયા છે. આ તમામને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અને પોલીસ આ અકસ્માતને લઈને આગામી કાર્યવાહી ચલાવી રહી છે. હકીકતમાં હાઈવે ઉપર સહેજ પણ ચૂક થઈ જાય કે, ખૂબ મોટા અકસ્માતનો સામનો કરવાનો વારો આવતો હોય છે.

જ્યારે આ બસ અને ટ્રક વચ્ચે અથડામણ થઈ ત્યારે હાઇવે પર પસાર થનાર અન્ય વાહનોએ પણ પોતાના વાહનો થોભાવીને આ બસની અંદર રહેલા ઇજાગરસ્તોને બહાર કાઢવાની જેહેમત હાથ ધરી હતી. અને માનવતાના ભાગરૂપે તેઓને તાત્કાલિક હોસ્પિટલ પણ ખસેડવામાં આવ્યા હતા.

હાઈવે પર રહેલા અન્ય લોકોનું કહેવું છે કે, આ ખૂબ જ ગંભીર અકસ્માત હતો. આ અકસ્માતમાં કોઈ વ્યક્તિનો જીવ ગયો નથી. પરંતુ અંદર બેસેલા તમામ મુસાફરોનો શ્વાસ એટલો બધો અધ્ધર થઈ ગયો હશે કે તેઓએ અંતિમ ઘડીનો નિર્ણય પણ કરી લીધો હશે. આવા કાળમુખ અકસ્માતમાં લોકોને ભારે હાલાકીનો ભોગ બનવું પડ્યું છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *